બુધવાર, 28 મે, 2014

પ્રસ્તાવના

જય માતાજી
આ બ્લોગના માધ્યમ થી પઢિયાર રાજપુત ક્ષત્રિય ભાઈઓ ની સામાજીક એકતા અને ઉન્નતિ માટે અમારી કક્ષાનો નાનો પ્રયાસ  છે.ગુજરાત માં વડોદરા -કચ્છ -જામનગર -પાટણ-આંણદ વગેરે જિલ્લામાં ક્ષત્રિય પઢિયારો ની વસ્તી છે .ભારતના  રાજસ્થાન -મધ્યપ્રદેશ -ગુજરાત- હિમાચલ પ્રદેશ -ઉતર પ્રદેશ બિહાર વગેરે રાજ્ય માં  પ્રતિહાર -પરિહાર- પઢિયાર  વંશ  ના રજવાડાં ની તથા રાજપુત ભાઈઓ ની માહિતી એકત્ર  કરી અહી  મુકવા પ્રયાસ કરેલ છે .
ગુજરાત માં મીયાગામ (કરજણ) વડોદરા,એકલબારા (પાદરા )વડોદરા ,ઉમેટા ( આંણદ ),વગેરે નાના રજવાડાં હતા..તો  ભારત માં મધ્ય પ્રદેશ માં અલીપુરા ,નાગોડ ,હિમાચલ પ્રદેશ માં ખાણેટી ,કુમાંર્સૈન  સ્વતંત્ર રાજ્ય હતા .તેની માહિતી જાણવા  USEFULL LINKs   માં જુવો .
ઉત્પતિ વિશેની એક માન્યતા મુજબ પઢિયાર સોલંકી ચૌહાણ તથા પરમાર અગ્નિ ની સાક્ષીએ શુદ્ધ  થયેલ હોઈ અગ્નિવંશી રાજપુત ક્ષત્રિય  કહેવાય છે.
અહી ઈતિહાસ ને લગતા પુસ્તક માં પઢિયાર પરિહાર પ્રતિહાર વંશ ની માહિતી ધરાવતા પાનાની નકલ મુકેલ છે.પિંગલગઢ ના પઢિયાર રાજા ને  રામદેવપીરે આપેલ પરચા ની માહિતીવાળા  રામદેવજી ના  આખ્યાનના પાના  મુકેલ છે.
આશા રાખીએ છીએ કે અમારો પ્રયાસ આપ  ને ગમશે તથા આપ પણ આપની પાસે  જે માહિતી હશે તે અમારી સાથે આપલે કરશો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો